SG હાઇવે બનશે આઇકોનિક ડસ્ટ ફ્રી:પકવાન સર્કલથી ઈસ્કોન બ્રિજ જશો તો લેન્ડસ્કેપિંગ, ગજેબો, જીમ ને ફાઉન્ટેન જોઈ આપોઆપ સ્પીડ ઓછી થઈ જશે
વૈષ્ણોદેવી સર્કલથી સરખેજ ઉજાલા સર્કલ સુધી રોડ ડેવલોપમેન્ટ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરમાં આઇકોનિક રોડ બનાવવામાં આવી રહ્યા છે. એરપોર્ટ સર્કલથી ઇન્દિરા બ્રિજ સુધી આઇકોનિક રોડ બનાવવામાં આવ્યો છે. જે બાદ શહેરના એસજી હાઇવે ગણાતા વૈષ્ણોદેવી સર્કલથી લઈને સરખેજ ઉજાલા સર્કલ સુધીના રોડને ડેવલોપમેન્ટ કરવામાં આવી રહ્યો છે.
ડસ્ટ ફ્રી રોડ પર વૃક્ષ અને તેની માહિતી આપતું બોર્ડ આઇકોનિક અને ડસ્ટ ફ્રી રોડને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દરેક ભાગમાં પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે. જે પણ વૃક્ષ અથવા પ્લાન્ટ લગાવવામાં આવ્યા છે તેની માહિતી આપતું બોર્ડ પણ લગાવાયું છે. હયાત રોડની પહોળાઈને ધ્યાનમાં રાખી મ્યુનિસિપલ કોર્પોરેશન અંતર્ગત આવતાં સર્વિસ રોડનું અંદાજીત 8 મીટર પહોળાઈમાં 750 મીટર સુધી ડેવલપમેન્ટ કરાયું છે.
નેશનલ હાઇવેના બફરઝોનમાં શહેરી વનીકરણ કરી લેન્ડસ્કેપીંગમાં વધારો પકવાન જંકશન પાસે જજીસ બંગ્લોઝ પાસેથી આવતા ટ્રાફિકને એસ.જી હાઇવે ઉપર સીગ્નલ મુક્ત ફ્રી લેફટ ટર્ન પણ મળશે. નેશનલ હાઇવેનાં બફરઝોનમાં શહેરી વનીકરણ કરી લેન્ડસ્કેપીંગમાં વધારો કરી પર્યાવરણ સંતુલન પર ભાર તેમજ અન્ય જરૂરીયાત મુજબની સ્થળ પરિસ્થિતિ મુજબની કામગીરી કરવામાં આવી છે. અનિયમિત કાચા ભાગમાં આવેલા હયાત મોટા વૃક્ષોની પણ જાળવણી કરવામાં આવી છે. ટોરેન્ટ હાઈટેનશન લાઈનનાં ટાવરને સિમેન્ટ જાળી લગાવી કવર કરાયા છે.
