PM મોદી ક્રોએશિયા જવા રવાના થયા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેનેડાથી ક્રોએશિયા જવા રવાના થયા છે. તેઓ બુધવારે સાંજે 2 દિવસની યાત્રાએ ક્રોએશિયા પહોંચશે. વડાપ્રધાનની 3 દેશોની 5 દિવસની મુલાકાતનો આ છેલ્લો તબક્કો છે. આ પહેલી વાર છે જ્યારે કોઈ ભારતીય વડાપ્રધાન ક્રોએશિયાની મુલાકાત લઈ રહ્યા છે.
આ દરમિયાન પીએમ મોદી ક્રોએશિયાના વડાપ્રધાન આન્દ્રેજ પ્લેનકોવિક સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે અને રાષ્ટ્રપતિ ઝોરોન મિલાનોવિચને પણ મળશે.
આ મુલાકાતને ભારત અને ક્રોએશિયા વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવાની સાથે સાથે યુરોપિયન યુનિયનના દેશો સાથે ભારતની ભાગીદારીને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. પીએમ મોદીની આ મુલાકાત એ વાતનો સંકેત છે કે ભારત યુરોપ સાથે તેના સંબંધોને વધુ વિસ્તૃત કરવા માંગે છે.
રવિવારથી શરૂ થયેલી પીએમની મુલાકાતના પહેલા દિવસે, તેઓ બે દિવસની મુલાકાત માટે સાયપ્રસ પહોંચ્યા. અહીંથી સોમવારે, પીએમ G7 સમિટમાં ભાગ લેવા માટે કેનેડા જવા રવાના થયા હતા. જ્યાં તેમણે મંગળવારે સમિટમાં હાજરી આપી.