Loading...

શક્તિસિંહ ગોહિલના ભત્રીજાએ અકસ્માતે પત્નીને ગોળી મારી:108 બોલાવી, પત્નીનું મોત થતાં આઘાતમાં સુસાઇડ કર્યું, અમદાવાદમાં બનાવ સમયે ઘરમાં માતા હાજર હતા

અમદાવાદના જજીસ બંગલો રોડ પર આવેલા NRI ટાવરમાં ગઈકાલે(21 જાન્યુઆરી)મોડી રાત્રે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલના સગા ભત્રીજા અને ક્લાસ-1 અધિકારી યશરાજસિંહ ગોહિલ રિવોલ્વર ફેરવતા હતા તે સમયે અકસ્માતે પત્નીના ગળામાં ગોળી વાગી ગઈ હતી. ગોળી વાગવાની ઘટના બનતા તરત જ તેમણે 108ને કોલ કર્યો હતો. 108ની ટીમ આવી તો તેમને ચેક કરીને પત્નીના મોતના સમાચાર આપ્યા હતા. જેથી આઘાતમાં આવીને પોતે પણ ગોળી મારીને તેમણે આત્મહત્યા કરી લીધી હતી. આ બનાવ બન્યો ત્યારે તેમના માતા પણ ઘરમાં હાજર હતા.

બનાવની જાણ થતાં જ વસ્ત્રાપુર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. ઘટનાને પગલે NRI ટાવરના ગેટ બંધ કરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ફ્લેટના રહીશો સિવાય કોઈપણ વ્યક્તિને અંદર પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી.

ઉલ્લેખનીય છે કે, મૃતક ગુજરાત મેરિટાઇમ બોર્ડમાં અધિકારી તરીકે ફરજ બજાવતા હતા. થોડા સમય અગાઉ જ પ્રમોશન મળતા વર્ગ 2માંથી વર્ગ 1 થયા હતા.

દંપતી કાલે જમવા માટે એક સબંધીના ઘરે ગયા હતા, જમીને ઘરે પરત આવ્યા ત્યારબાદ બનાવ બન્યો હતો. બનાવ સમયે ઘરમાં યશરાજના 60 વર્ષીય માતા બીજા રૂમમાં હાજર હતા.

મૃતક પતિએ ભૂલથી ગોળી વાગી હોવાનો 108માં કોલ કર્યો હતો 108 ઈમરજન્સી સેવાના જણાવ્યા મુજબ રાતે 11.45 વાગ્યા આસપાસ 108માં કોલ મળ્યો હતો. જેથી તાત્કાલિક 5 મિનિટમાં એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતક પતિએ ભૂલથી ગોળી વાગી છે એવો કોલ 108માં કર્યો હતો. જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે મહિલાને તપાસતા તેઓ મૃત હતા. જેથી પેરામેડિકલ સ્ટાફ બહાર ડોક્ટર સાથે ફોન પર વાત કરતા હતા, ત્યારે પતિએ પોતાને પણ ગોળી મારી દીધી હતી. જેથી 108 સ્ટાફ દ્વારા પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી.

પત્નીના મોતના આઘાતમાં પોતે પણ ગોળી મારીને આત્મહત્યા કરી મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ગોળી વાગવાની ઘટના બનતા તરત જ તેમણે 108 ને કોલ કર્યો હતો. 108ની ટીમ આવી ત્યારે ફ્લેટ મળતો ન હોવાથી નીચે લેવા માટે પણ ગયા હતા. ઘટના બની ત્યારે તેમના માતા પણ ફ્લેટમાં હાજર હતા. 108 ની ટીમ આવી તો તેમને ચેક કરીને પત્નીના મોતના સમાચાર આપ્યા હતા. જેથી આઘાતમાં આવીને પોતે પણ ગોળી મારીને આત્મહત્યા કરી છે. અનેક વખત વાહન ફૂલ સ્પીડમાં ચલાવતા હોવાથી શક્તિસિંહ ગોહિલે ઠપકો પણ આપ્યો હતો. કોઈપણ પ્રકારનો ઝઘડો બંને વચ્ચે નહતો બંને પરિવાર ખૂબ ખુશ હતા. પત્નીના મોતના આઘાત લાગતા તેમણે પોતે પણ પોતાને ગોળી મારી લીધી હતી. પોતાની માતા અને 108ની ટીમ સામે જે પોતે આત્મહત્યા કરી હતી. જે દરમિયાન 108ની ટીમે બંનેને બચાવવાનો પ્રયાસ પણ કર્યો હતો.

બંનેએ માનતા રાખી હોવાથી બીજના દર્શન કરવા ગયા હતા યશરાજસિંહ ગોહિલના નજીકના લોકોના જણાવ્યા અનુસાર બે દિવસ પહેલા જ યશરાજસિંહ અને તેમની પત્ની બંને સોલા પાસે આવેલા રણુજા મંદિરમાં દર્શન કરવા માટે ગયા હતા. માનતા રાખી હોવાથી તે પૂરી કરવા માટે બંને જણા બીજના દિવસે દર્શન કરવા માટે ગયા હતા. પાસપોર્ટ માટેની પ્રક્રિયા પણ ચાલી રહી હતી અને નજીકના દિવસમાં જ વિદેશ જવાના હતા. યશરાજસિંહને ગાડી અને બંદૂકનો ખૂબ શોખ હતો. જો કે, કોઈપણ પ્રકારનું વ્યસન નહતું.

પતિ-પત્ની વચ્ચે થયેલાં ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ લીધું મળતી માહિતી મુજબ, જજીસ બંગલો રોડ પર આવેલા NRI ટાવરમાં ભાવનગરના યશરાજ ગોહિલ અને તેમના પત્ની રાજેશ્વરી ગોહિલ રહેતા હતા. બંનેના બે મહિના અગાઉ જ લગ્ન થયા હતા. ગત મોડી રાતે યશરાજ અને તેમના પત્ની રાજેશ્વરી વચ્ચે કોઈ બાબતને લઈને ઝઘડો થયો હતો. ઝઘડો વધુ વધતા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

Image Gallery