Loading...

ઇન્દોરમાં જીવલેણ બેક્ટેરિયાથી 15નાં મોત:હાઈકોર્ટમાં સરકારે કહ્યું- અત્યાર સુધીમાં માત્ર 4નાં જ મોત; પાઈપલાઈન લીકેજથી પીવાના પાણીમાં ભળ્યું દૂષિત પાણી ઇન્દોર2 કલાક પેહલા

દૂષિત પાણીથી પ્રભાવિત 16 બાળકો સહિત 201 લોકો અલગ-અલગ હોસ્પિટલોમાં દાખલ છે. તમામ 15 લોકોના જીવ દૂષિત પાણીના કારણે જ ગયા છે. આની પુષ્ટિ ગુરુવારે મહાત્મા ગાંધી મેમોરિયલ મેડિકલ કોલેજના લેબ રિપોર્ટથી થઈ ગઈ.

CMHO ડૉ. માધવ હસાનીએ કહ્યું- સેમ્પલના તપાસ રિપોર્ટમાં સ્પષ્ટપણે પુષ્ટિ થઈ છે કે દૂષિત પાણી પીવાથી જ લોકો બીમાર પડ્યા અને તેમના જીવ ગયા. કલેક્ટર શિવમ વર્માનું કહેવું છે કે ડિટેલ્ડ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. મેડિકલ કોલેજમાં કલ્ચર ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યો છે. તેનો રિપોર્ટ આવ્યા પછી જ કંઈ કહેવું યોગ્ય રહેશે.

તો બીજી તરફ શહેરી વિકાસ મંત્રી કૈલાશ વિજયવર્ગીયે પણ સ્વીકાર્યું કે ભાગીરથપુરાના પીવાના પાણીમાં સીવેજનું પાણી ભળવાથી સ્થિતિ વણસી છે. તેમણે કહ્યું- મને લાગે છે કે ચોકી પાસે જે લીકેજવાળી જગ્યા છે, ત્યાં જ તેની સૌથી મુખ્ય આશંકા છે.

દૂષિત પાણીમાં કોલેરા જેવા ઘાતક બેક્ટેરિયા નિષ્ણાતોના મતે દૂષિત પાણી એટલે તેમાં બેક્ટેરિયા હોવા, પરંતુ કયા બેક્ટેરિયાએ અસર કરી, તેના માટે ખાસ (કલ્ચર) તપાસ થાય છે. ડ્રેનેજના પાણીમાં ઘણા પ્રકારના તત્વો હોય છે. તેમાં ટોયલેટમાંથી નીકળતો મળ-મૂત્ર, બાથરૂમમાં નહાવાનો, કપડાં ધોવાનો સાબુ, પાવડરનું પાણી પણ હોય છે.

આ ઉપરાંત વાસણ ધોવાના સાબુ, પાવડર, ફ્લોર સાફ કરવાનું લિક્વિડ, કેમિકલ પણ હોય છે. આ બધો કચરો ડ્રેનેજમાં ભળી જાય છે. આવા જ વિસ્તારમાં જો કોમર્શિયલમાં કેમિકલ સંબંધિત કચરો પણ હોય તો આ બધું ભળીને ઘાતક બની જાય છે. પછી જો આ પીવાના પાણીની લાઇનમાં ભળી જાય તો વધુ ઝેરી બની જાય છે.

આવી સ્થિતિમાં પછી Shigella, Salmonella, Salmonella, Cholera (કોલેરા), Escherichia coli વગેરે બેક્ટેરિયા થાય છે. આમાંથી કોઈ એક બેક્ટેરિયા એવો હોઈ શકે છે, જેના કારણે આવી જીવલેણ સ્થિતિ સર્જાઈ.

મંત્રી વિજયવર્ગીય સામે મહિલાઓ નારાજ થઈ

મંત્રી કૈલાશ વિજયવર્ગીય ગુરુવારે સ્કૂટર પર સવાર થઈને ભાગીરથપુરા પહોંચ્યા. આ દરમિયાન મહિલાઓએ નારાજગી વ્યક્ત કરી. આનો વીડિયો પીસીસી ચીફ જીતુ પટવારીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. વીડિયોમાં એક મહિલા કહેતી દેખાઈ રહી છે... 'છેલ્લા બે વર્ષથી ગંદુ પાણી આવી રહ્યું છે. ભાજપના કોર્પોરેટરને વારંવાર જણાવવામાં આવ્યું, પરંતુ આજ સુધી સમસ્યાનું સમાધાન થયું નથી.'

મહિલા બોલી- હોસ્પિટલવાળા પૈસા માંગી રહ્યા છે ભાગીરથપુરાની નિધિ યાદવ ખોળામાં બાળક લઈને હોસ્પિટલ પાસે બેબાકળી ફરી રહી હતી. તેની સાથે નણંદ પિંકી પણ હતી. કેટલાક નેતાઓએ બંનેને રોકવાનો પ્રયાસ કર્યો તો તેઓ નારાજ થઈ ગઈ. નિધિ કડક અવાજમાં બોલી- મારી 70 વર્ષની સાસુ રામલલી યાદવ 7 દિવસથી હોસ્પિટલમાં દાખલ છે.

હોસ્પિટલવાળા સ્લિપ આપીને પૈસા માંગી રહ્યા છે. તેમની કિડની ફેલ થઈ ગઈ છે. તેમને કંઈ થઈ ગયું તો કોણ જવાબદાર હશે? આ બે લાખ રૂપિયા આપીને સાસુને પાછા લાવી આપશે શું અમને? અમારા પેટમાં દુખાવો છે, તેમ છતાં બાળકોને લઈને દોડી રહ્યા છીએ. મંત્રીજીને મળવા ગયા તો તેમના માણસોએ મળવા પણ ન દીધા.

CMHO એ જણાવ્યું- 201 દર્દી દાખલ, 32 ICU માં...71 ડિસ્ચાર્જ CMHO ડો. માધવ હસાનીએ જણાવ્યું કે ગુરુવારે 1714 ઘરોનો સર્વે કરવામાં આવ્યો. 8571 લોકોની તપાસ કરવામાં આવી. 338 દર્દીઓને સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપવામાં આવી. આજ સુધી કુલ 272 દર્દીઓને હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી 71 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં, હોસ્પિટલોમાં દાખલ દર્દીઓની સંખ્યા 201 છે. આમાંથી 32 ICU માં છે.

ACS સંજય દુબેએ ઇન્દોરમાં અધિકારીઓ સાથે બેઠક કરી દૂષિત પાણી સપ્લાય મામલાની તપાસ માટે અપર મુખ્ય સચિવ સંજય દુબે ગુરુવારે ઇન્દોર પહોંચ્યા. તેમણે તે જગ્યાનું નિરીક્ષણ કર્યું, જ્યાંથી દૂષિત પાણી સપ્લાય લાઈનમાં ભળવાની આશંકા છે. તેમણે જોયું કે પાણી ક્યાંથી આવી રહ્યું હતું અને ક્યાં સપ્લાય કરવામાં આવી રહ્યું હતું.

આ પછી દુબેએ નગર નિગમ અને જિલ્લા પ્રશાસનના અધિકારીઓ સાથે બેઠક કરી. તેમાં કહેવામાં આવ્યું કે- શહેરમાં અન્ય સ્થળોએ પણ પીવાના પાણીના સપ્લાયનું રેન્ડમ સેમ્પલિંગ કરાવવામાં આવે. ચકાસવામાં આવે કે ક્યાંક બીજે તો દૂષિત પાણી સપ્લાય નથી થઈ રહ્યું.

તેમણે પીવાના પાણી સંબંધિત મામલાઓને પેન્ડિંગ ન રાખવા અને જનહિતને ધ્યાનમાં રાખીને તાત્કાલિક મંજૂરી આપવા પણ જણાવ્યું. દુબે આનો રિપોર્ટ મુખ્યમંત્રીને આપશે કે ક્યાં ચૂક થઈ છે અને આ મામલે કોણ જવાબદાર છે?

સાંસદ બોલ્યા- ભાગીરથપુરામાં 10 નવી બોરિંગ થશે ઇન્દોરના સાંસદ શંકર લાલવાણી પણ ગુરુવારે ભાગીરથપુરા પહોંચ્યા. તેમણે પૂર્વ ધારાસભ્ય આકાશ વિજયવર્ગીય સાથે મળીને વિસ્તારનો પ્રવાસ કર્યો. પ્રભાવિત લોકો સાથે મુલાકાત પણ કરી.

સાંસદ લાલવાણીએ કહ્યું- અહીંના લોકોની માંગ હતી કે વિસ્તારમાં વધુ બોરિંગ થવી જોઈએ. આના પર અમે સાંસદ નિધિમાંથી તરત જ 10 બોરિંગ મંજૂર કરી છે. મશીન બોલાવીને કામ પણ શરૂ કરાવી દીધું છે.

Image Gallery