Loading...

જયપુરની SMS હોસ્પિટલમાં આગ,મોડી રાત્રે ટ્રોમા સેન્ટરના ICUમાં બની દુર્ઘટના, 8 દર્દીનાં મોત

જયપુરમાં સવાઈ માનસિંહ (SMS) હોસ્પિટલના ટ્રોમા સેન્ટરના ICUમાં રવિવારે મોડી રાત્રે આગ લાગી હતી. આ ઘટનામાં ત્રણ મહિલાઓ સહિત આઠ દર્દીઓના મોત થયા હતા.ટ્રોમા સેન્ટરના ન્યુરો આઈસીયુ વોર્ડના સ્ટોરરૂમમાં રાત્રે 11:20 વાગ્યે આગ લાગી હતી, જ્યાં પેપર્સ, આઈસીયુનાં સાધનો અને બ્લડ સેમ્પલર ટ્યુબ રાખવામાં આવી હતી,

ટ્રોમા સેન્ટરના નોડલ ઓફિસર અને સિનિયર ડોક્ટરે જણાવ્યું હતું કે આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાની શંકા છે. અકસ્માત સમયે, ICUમાં 11 દર્દીઓ હતા અને બાજુના ICUમાં 13 દર્દીઓ હતા.

આખો વોર્ડ ધુમાડાથી ભરાઈ ગયો હતો :- ફાયરમેન 

ફાયર વિભાગના કર્મચારી અવધેશ પાંડેએ ભાસ્કરને જણાવ્યું હતું કે એલાર્મ વાગતા જ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આખો વોર્ડ ધુમાડાથી ભરાઈ ગયો હતો. અંદર જવાનો કોઈ રસ્તો નહોતો. તેથી, બિલ્ડિંગની બીજી બાજુથી બારીના કાચ દૂર કરવામાં આવ્યા હતા અને પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો. આગને કાબુમાં લેવામાં એકથી દોઢ કલાકનો સમય લાગ્યો હતો. બધા દર્દીઓ, તેમના પલંગ સહિત, બહાર શેરીમાં ખસેડવામાં આવ્યા હતા.

 મેં તેમને 20 મિનિટ પહેલા કહ્યું હતું, પરંતુ તેમણે ધ્યાન આપ્યું નહીં :- દર્દીના પરિવાર

ભરતપુરના રહેવાસી શેરુએ જણાવ્યું કે આગ લાગી તેના 20 મિનિટ પહેલા ધુમાડો નીકળવા લાગ્યો હતો. તેમણે સ્ટાફને જાણ કરી, પરંતુ કોઈએ ધ્યાન આપ્યું નહીં. રાત્રે 11:20 વાગ્યા સુધીમાં, ધુમાડો વધવા લાગ્યો અને પ્લાસ્ટિકની ટ્યુબ ઓગળવા લાગી અને પડવા લાગી. ઘટનાસ્થળે હાજર વોર્ડ બોય ભાગી ગયા.

શેરુએ કહ્યું, "અમે ખૂબ જ મુશ્કેલીથી અમારા દર્દીને બચાવી શક્યા. અકસ્માતના બે કલાક પછી, દર્દીને ગ્રાઉન્ડ ફ્લોર પર ખસેડવામાં આવ્યો. અમને હજુ પણ તેની સ્થિતિ વિશે ખબર નથી. અમને તેને મળવા દેવામાં આવી રહ્યા નથી."

મૃતકોના નામ 

પીન્ટુ રહેવાસી સીકર, દિલીપ રહેવાસી આંધી જયપુર, શ્રીનાથ રહેવાસી ભરતપુર, રૂકમણી રહેવાસી ભરતપુર, કુશ્મા રહેવાસી ભરતપુર, બહાદુર રહેવાસી સાંગાનેર જયપુરનો સમાવેશ થાય છે

Image Gallery