Hindu Death Rituals: હિન્દૂ ધર્મમાં અંતિમ સંસ્કાર સમયે કેમ ફોડવામાં આવે છે માટલી? જાણો શું છે આ વિધિ
Hindu Death Rituals: અંતિમ સંસ્કારમાં માટલું ફોડવું એ માત્ર એક પરંપરા નથી, પરંતુ મૃત્યુ, આત્મા અને મુક્તિનું પ્રતીક છે. ધાર્મિક, જ્યોતિષીય અને વ્યવહારિક કારણોસર તેને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
તાજેતરમાં જ મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારનું પ્લેન લેન્ડિંગ દરમિયાન ક્રેશ થઈ ગયું હતું અને આ દુર્ઘટનામાં ડેપ્યુટી સીએમ અજિત પવાર સહિત 5 લોકોનું મોત થયું હતું. મૃત્યુ આપણા જીવનનું એક એવું સત્ય છે, જેને કોઈ ટાળી નથી શકતું કે કોઈ અવગણી નથી શકતું. મૃત્યુ બાદ હિન્દૂ ધર્મમાં કરવામાં આવતા સંસ્કાર ન માત્ર દિવંગતની આત્માની શાંતિ માટે પરંતુ સમાજ અને પરિવારને સત્યની યાદ અપાવવા માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. હિન્દૂ ધર્મમાં અંતિમ સંસ્કારના સમયે પાણી ભરેલી માટલી ફોડવી 16 સંસ્કારોમાંથી એક છે. સામાન્ય રીતે લોકો તેને પરંપરા માનીને અનુસરે છે, પરંતુ તેની પાછળ ધાર્મિક, જ્યોતિષીય અને વ્યવહારિક કારણો છુપાયેલા છે. હકીકતમાં આ પરંપરા આપણને શીખવે છે કે મૃત્યુ જીવનનો અંત નથી, પરંતુ એક નવી શરૂઆત છે. જે રીતે પાણી માટલીમાંથી વહીને જમીનમાં ભળી જાય છે, એ જ રીતે આત્મા પણ પોતાના કર્મો અનુસાર આગળ વધે છે. માટલી ફોડવાની આ પરંપરા ન માત્ર ધાર્મિક અને જ્યોતિષીય દ્રષ્ટિકોણથી મહત્વની છે, પરંતુ તે એક ભાવનાત્મક અને સામાજિક સંદેશ પણ આપે છે, જીવનની અંતિમ ક્ષણોમાં શાંતિ, સન્માન અને મોક્ષની પ્રાપ્તિ તરફ વધવું. આ અંગે ભોપાલના નિવાસી અને વાસ્તુ સલાહકાર પંડિત હિતેન્દ્ર કુમાર શર્મા જાણકારી આપી રહ્યા છે.
અંતિમ સંસ્કારમાં માટલી ફોડવાની પરંપરા
હિન્દૂ શાસ્ત્રો અનુસાર, અંતિમ સંસ્કારની બધી જ ક્રિયાઓ યોગ્ય બ્રાહ્મણ કે અનુભવસંપન્ન મહાપાત્રના નિર્દેશનમાં કરવામાં આવે છે. આ દરમિયાન મુખાગ્નિ આપનાર વ્યક્તિ, જેને મુખાગ્નિ દાતા કહેવાય છે, માટીની માટલી લઈને ચિતાની ચારેય બાજુ પરિક્રમા કરે છે. માટલીમાં થોડું પાણી ભરાયેલું હોય છે અને તેમાં કાણું કરી દેવામાં આવે છે. પહેલાં દક્ષિણાવર્ત અને વામાવર્ત પરિક્રમા કર્યા બાદ મટકીને પાછળ ફેંકી દેવાય છે. માટલી ફૂટ્યા બાદ પાણી વિખેરાઈ જાય છે અને આ ક્રિયા અંતિમ સંસ્કારની એક મહત્વનું ચરણ માનવામાં આવે છે.