રાત્રે આવતા નસકોરા પાછળ છુપાયેલી છે ‘આ ગંભીર બીમારીઓ’, ઘરેલું નુસખા અજમાવો અને મેળવો ‘રાહત’નસકોરા કોઈના માટે મજાક હોઈ શકે છે, તો કોઈના માટે આખી રાતની સજા હોઇ શકે છે. ટૂંકમાં, આ માત્ર ઊંઘ બગાડનારો અવાજ રહ્યો નથી, હવે તે શરીરની અંદર ચાલી રહેલી ગંભીર બીમારીન
નસકોરા કોઈના માટે મજાક હોઈ શકે છે, તો કોઈના માટે આખી રાતની સજા હોઇ શકે છે. ટૂંકમાં, આ માત્ર ઊંઘ બગાડનારો અવાજ રહ્યો નથી, હવે તે શરીરની અંદર ચાલી રહેલી ગંભીર બીમારીની ચેતવણી પણ છે. આ બાબત માત્ર ઊંઘમાં ખલેલ પહોંચાડવા પૂરતી મર્યાદિત નથી. આ મામલો હૃદય અને ફેફસાં પર પડતા એ દબાણનો છે, જે ધીરે ધીરે શરીરને અંદરથી નબળું પાડી રહ્યું છે.
ટૂંકમાં, જ્યારે કોઈ નસકોરા લે છે, ત્યારે ઘણીવાર ઊંઘ દરમિયાન શ્વાસ વારંવાર અટકી જાય છે, જેને 'ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપ્નિયા' કહેવામાં આવે છે. આનાથી શરીરમાં ઓક્સિજનનું સ્તર ઘટે છે અને ફેફસાંની ધમનીઓ પર દબાણ વધે છે.
તાજેતરના સંશોધન મુજબ, નસકોરા લેતા લગભગ 72% દર્દીઓમાં 'પલ્મોનરી હાયપરટેન્શન' જોવા મળ્યું છે. આ 'હાયપરટેન્શન' હાર્ટ ફેલ્યોર અને સ્ટ્રોકનું જોખમ ગણું વધારી દે છે, કારણ કે લાંબા સમય સુધી આવું થવાથી ફેફસાંની કાર્યક્ષમતા (Capacity) ઘટે છે અને COPD જેવી ગંભીર બીમારીઓનું જોખમ વધી જાય છે.
ચિંતાની વાત એ છે કે, દેશમાં અંદાજે 11 કરોડ લોકો સ્લીપ એપ્નિયાથી પીડાય છે અને મોટાભાગના લોકો તેને સામાન્ય 'નસકોરા' સમજીને નજરઅંદાજ કરે છે.
આમ જોવા જઈએ તો, જ્યારે શ્વાસ વારંવાર અટકે છે, ત્યારે હૃદયને વધુ મહેનત કરવી પડે છે, બ્લડ પ્રેશર વધે છે અને હૃદયના સ્નાયુઓ પર સતત દબાણ આવે છે. બસ આ જ થાક, માથાનો દુખાવો અને શ્વાસ ચઢવાનું કારણ બને છે. ઉપરથી અત્યારે હવામાન પણ બદલાઈ રહ્યું છે. એવામાં આ ઋતુમાં ધૂળ અને પ્રદૂષણ ઝડપથી વધે છે, જેનાથી એલર્જી, બ્રોન્કાઇટિસ અને અસ્થમાના કેસો વધુ સામે આવે છે.