Loading...

મંત્રીમંડળના વિસ્તરણ બાદ વિધાનસભામાં મહત્વનાં પદ ખાલી:દંડકથી સમિતિઓ સુધી હવે નવા ચહેરાઓની શોધ શરૂ, ભાજપ આગામી સપ્તાહે નામ જાહેર કરી શકે; જાણો સમિતિની કામગીરી વિશે...

દંડક, નાયબ મુખ્ય દંડકને તાજેતરમાં મંત્રીપદ મળતાં હવે આ ત્રણેય પદ ખાલી ભાજપના દંડક રમેશ કટારા, નાયબ મુખ્ય દંડક રમણ સોલંકી અને નાયબ દંડક કૌશિક વેકરીયાને તાજેતરમાં મંત્રીપદ મળતાં હવે આ ત્રણેય પદ ખાલી પડ્યા છે. આવતી વિધાનસભાની બેઠક પહેલાં આ જગ્યાઓ ભરવા અંગે ચર્ચા તેજ બની છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, નવા દંડક અને ઉપદંડક માટે સત્તારૂઢ પક્ષે આંતરિક મથામણ શરૂ કરી દીધી છે.

જાહેર હિસાબ સમિતિમાં પણ ખાલી જગ્યાઓને કારણે કામગીરી અટવાઈ તે જ સાથે વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ (PAC)માં પણ ખાલી જગ્યાઓને કારણે કામગીરી અટવાઈ ગઈ છે. તાજેતરમાં સભ્યો મંત્રી બનતા PACની બેઠક યોજી શકાઈ નથી. CAGના ઓડિટ પેરા મુદ્દે વિધાનસભામાં ચર્ચા માટે PACનું કાર્ય મહત્વપૂર્ણ ગણાય છે, પણ હવે ચેરમેન સહિતના સભ્યોના બદલાવને કારણે નવી નિમણૂક જરૂરી બની ગઈ છે.

PACના ચેરમેન સહિતના પાંચ સભ્યોને મંત્રીપદ મળ્યું છે. PACના ચેરમેનનું પદ વિપક્ષની ઓછી સીટોના કારણે ભાજપના ધારાસભ્ય જીતુ વાઘાણીને મળ્યું હતું. ચેરમેન પદથી લઈને સદસ્યો અર્જુન મોઢવાડિયા, પ્રવિણ માળી, કાંતિ અમૃતિયા, સંજયસિંહ મહિડાને મંત્રી તરીકે સ્થાન મળતા આ સ્થાન ખાલી થયા છે. તેમજ અંદાજ સમિતિના ચેરમેન મનિષા વકીલ, એસ.સી. અને એસ.ટી. કમિટીના ચાર સભ્યોને પણ મંત્રીપદ મળ્યું છે.

PACમાં સપ્તાહની શરુઆતમાં નિયમિત બેઠક યોજવી જરૂરી અધિકારીઓના જણાવ્યા મુજબ PACમાં સપ્તાહની શરુઆતમાં નિયમિત બેઠક યોજવાની જરૂર રહે છે, પરંતુ હાલ અધ્યક્ષપદ ખાલી હોવાને કારણે સમિતિ નિષ્ક્રિય છે. નવા અધ્યક્ષ તરીકે કોણ જવાબદારી સંભાળશે તે અંગે હજી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી.

ભાજપ આગામી સપ્તાહે વિધાનસભાના દંડક, ઉપદંડક, PAC સહિતની ખાલી જગ્યાઓ માટે નામ જાહેર કરી શકે ભાજપની અંદરથી મળતી માહિતી મુજબ પાર્ટી આગામી સપ્તાહે વિધાનસભાના દંડક, ઉપદંડક અને PAC સહિતની ખાલી જગ્યાઓ માટે નવા ચહેરા જાહેર કરી શકે છે. આ સાથે વિધાનસભાની આંતરિક રાજકીય ગતિવિધિઓમાં ફરી ચેતનતા જોવા મળશે તેવી શક્યતા છે.

કઈ સમિતિ શું કામ કરે છે?

અંદાજ સમિતિ 15 સભ્યો: અંદાજ સમિતિમાં દર વર્ષે પ્રથમ સત્રની શરૂઆતમાં અંદાજ સમિતિની રચના કરવામાં આવે છે. જેમાં 15 સભ્યો હોય છે, આ સભ્યોમાંથી એક સભ્યને પ્રમુખ બનાવવામાં આવે છે. આ સમિતિ અંદાજપત્રમાં સુધારેલા ખર્ચના અંદાજોની તપાસ કરે છે અને તે અંદાજો અંતર્ગત નીતિ અનુસાર કોઈ ફેરફાર અથવા તો કાર્યક્ષમતામાં સુધારો અથવા તો વહીવટી સુધારા અંગેનો અહેવાલ આપે છે અને તેને અમલ કરવા માટેના ઉપાયો પણ સૂચવવામાં આવે છે.

જાહેર હિસાબ સમિતિ 15 સભ્યો: જાહેર હિસાબ સમિતિમાં પણ 15 સભ્યો હોય છે અને તેમની ચૂંટણી પણ અંદાજ સમિતિના સભ્યોની જેમ જ કરવામાં આવે છે. જ્યારે સરકારના એકેય મંત્રીઓ સમિતિમાં સભ્યપદે રહી શકતા નથી. જ્યારે રાજ્યના વિનિયોગ હિસાબો, નાણાકીય હિસાબો કેગનો અહેવાલ તપાસીને સમિતિને અહેવાલ સમક્ષ રજૂ કરે છે. સાથે સાથે અહેવાલ ઉપર સરકારે લીધેલા પગલાં વિશે પણ સમિતિ ચકાસણી કરે છે અને તે અંગેના મંતવ્યો પણ અહેવાલમાં જણાવવામાં આવે છે.

પંચાયતી રાજ સમિતિ 15 સભ્યો: દરેક વિધાનસભાના પ્રથમ સત્રની શરૂઆતમાં પંચાયતી રાજ સમિતિની રચના કરવામાં આવે છે. આ સમિતિમાં વિધાનસભા પોતાના સભ્યમાંથી પ્રમાણસર પ્રતિનિધિત્વના સિદ્ધાંત અનુસાર 15 સભ્યો હોય છે. જ્યારે આ સમિતિની શરૂઆત 9 માર્ચ 1981ના રોજ કરવામાં આવી હતી. ત્યારબાદ 1 સપ્ટેમ્બર 1987થી ગુજરાત વિધાનસભામાં નિયમોની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે રાજ્યના જિલ્લા અને તાલુકા પંચાયતોના હિસાબ પરના સ્થાનિક ભંડોળ હિસાબના નિરીક્ષકોના ઓડિટ અહેવાલ તપાસીને સમિતિ સમક્ષ તેનો અહેવાલ રજૂ કરે છે.

જાહેર સાહસો માટેની સમિતિ 15 સભ્યો: જાહેર સાહસો માટેની સમિતિ એ રાજ્યના જુદા જુદા બોર્ડ અને કોર્પોરેશનની સ્વાયત્તા અને કાર્યક્ષમતાના સંદર્ભમાં તેમના કામકાજનું સંચાલન તંદુરસ્ત વેપારી ધોરણે ચાલે છે કે નહીં તે આ સમિતિ તપાસ કરે છે. જેમાં બોર્ડ, કોર્પોરેશનની સ્વાયત્તા અને કાર્યકક્ષાના સંદર્ભમાં વહીવટી અહેવાલો, હિસાબો, તેના ઓડિટ રિપોર્ટ અને રાજ્યના પદના કેગના રિપોર્ટમાં બોર્ડ કોર્પોરેશન રાખતા ફકરાની તપાસ કરે છે.

કામકાજ સલાહકાર સમિતિ: વિધાનસભાની શરૂઆતમાં જ કામકાજ સમિતિની નિમણૂક કરવામાં આવે છે. આ સમિતિના સભ્યોમાં અધ્યક્ષો વખત ફેરફાર કરીને પુનઃરચના પણ કરી શકે છે. જ્યારે અધ્યક્ષ તેના પ્રમુખ હોય છે, સામાન્ય રીતે મુખ્યપ્રધાન સહિતના પક્ષના નેતાઓ મુખ્ય દંડકો અને વિધાનસભામાં બીજા પક્ષોના પ્રતિનિધિઓને સમાવવામાં આવે છે. જ્યારે સરકારી વિધાયકો અને બીજા સરકારી કામકાજના જુદા જુદા તબક્કાઓ માટે જરૂરી સમયની ફાળવણી કરીને સમય પત્રક ઠરાવવા બાબતની સમિતિ ભલામણ કરે છે.

વિશેષ અધિકાર સમિતિ: આ સમિતિમાં વધુમાં વધુ સાત સભ્યોની નિમણૂક કરવામાં આવે છે. જેમાં વિધાનસભામાં વ્યક્તિગત સભ્યના અથવા સમૂહ ગૃહ કે તેની કોઈપણ સમિતિના તેમજ વિધાનસભાના અધિકારીઓના વિશેષ અધિકારને લગતા પ્રશ્નોના વિચારણા માટે આ સમિતિને સોંપવામાં આવે છે. તે તમામ પ્રશ્નોની સમિતિ તપાસ કરે છે અને પોતાની તપાસમાં જે તે જરૂરી જણાય તો કોઈપણ વ્યક્તિને પોતાની સમક્ષ હાજર થવા અથવા કોઈપણ દસ્તાવેજ રજૂ કરવા માટેનો ફરમાન આપી શકે છે. આમ, વિધાનસભાગૃહમાં વિશેષ અધિકારનો ભંગ થયો હોય તો આ બાબતમાં સમિતિ પગલાં લેવા અંગે ભલામણ કરી શકે છે. જ્યારે અહેવાલને વિચારણાને અંતે ગ્રુપ કોશિશ શિક્ષાત્મક લેવાનું ઠરાવે તો પણ તે ઠરાવને અનુરૂપ અધ્યક્ષ ગૃહના પ્રતિનિધિ તરીકે નિર્ણય કરે છે.

અનુસૂચિત જાતિઓના કલ્યાણ માટે સમિતિ: આ સમિતિની રચના 3 એપ્રિલ 1981ના રોજ અધ્યક્ષ દ્વારા કરવામાં આવી હતી, ત્યારબાદ 7મી સપ્ટેમ્બર 1978 અને 29 સપ્ટેમ્બર 1978ના રોજ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને વિચરતી તેમજ વિમુક્ત જાતિઓના કલ્યાણ માટે આ સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિમાં 11 જેટલા સભ્ય હોય છે અને અનુસૂચિત જાતિના કલ્યાણ માટે રાજ્ય સરકારે હાથ લીધેલા કાર્યક્રમના અમલ અંગેનો અહેવાલ સરકારની કામગીરી અનુસૂચિત જાતિઓના સભ્યોને પજવણી થયાના તથા સામૂહિક સામાજિક બહિષ્કારના ગંભીર કિસ્સામાં સરકારને ભલામણ કરવાની જોગવાઈ કરવામાં આવી છે.

અનુસૂચિત જનજાતિના કલ્યાણ માટેની સમિતિ: આ સમિતિ 18મી માર્ચ 1981ના રોજ પસાર થયેલા સરકારી સંકલ્પ અન્વયે 3 એપ્રિલ 1981ના રોજ રચવામાં આવી છે. આ સમિતિમાં 11 સભ્યો હોય છે. જેમાં અનુસૂચિત જનજાતિના ઓછામાં ઓછા સાત સભ્યો હોય છે. જ્યારે કામગીરીની વાત કરવામાં આવે તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિઓના કમિશનરે રજૂ કરેલા અહેવાલ માની ગુજરાત રાજ્યને અનુસૂચિત જનજાતિઓને સંબંધકર્તા બાબતો અંગે રાજ્ય સરકાર તેના કાર્યક્ષેત્રમાં રહીને યોગ્ય પગલાં લેવા અને તે અંગે સૂચવતો અહેવાલ સભા સમક્ષ રજૂ કરવો, ભારતના બંધારણના અનુચ્છેદ 335ની જોગવાઈને અનુલક્ષીને રાજ્ય સરકાર અને રાજ્ય સરકારને જવાબદાર એવા જાહેર સાહસો અર્ધસરકારી સંસ્થાઓ તેમના નિયંત્રણની નોકરીઓ અને જગ્યાઓમાં અનુસૂચિત જનજાતિઓ અને પૂરતું પ્રતિનિધિત્વ મળે તે માટે લીધેલા પગલા તપાસવા અને તે અંગેનો સભાગૃહને અહેવાલ આપવા માટેનો હોય છે, જ્યારે ગંભીર બનાવો અંગે સમીક્ષા કરી સરકારને યોગ્ય પગલાં લેવાની સલાહ સુચન પણ આપે છે.

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના કલ્યાણ માટેની સમિતિ: અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને વિચરતી જાતિ, વિમુક્ત જાતિ અને કલ્યાણ માટેની સમિતિનું ત્રણ અલગ અલગ સમિતિઓમાં વિભાજન કરવામાં આવે છે. જેમાં સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો, વિચરતી અને વિમુક્ત જાતિઓના કલ્યાણ માટે રાજ્ય સરકારના કાર્યકર્મોના અમલ અંગે વિધાનસભાને અહેવાલ રજૂ કરવામાં આવે છે. આ ઉપરાંત વિધાનસભા અને અધ્યક્ષ સમિતિને ખાસ સોંપે તેવી સામાજિક, શૈક્ષણિક રીતે પછાત વર્ગો, વિચરતી અને વિમુક્ત જાતિ અને બીજી કોઈપણ બાબતે તપાસ અંગેનો અહેવાલ વિધાનસભામાં રજૂ થઈ શકે છે.

સભ્યોની હાજરી સમિતિ: વિધાનસભા ગૃહમાં સભ્યોની હાજરી બાબતની પણ એક ખાસ સમિતિ તૈયાર કરવામાં આવે છે. જેમાં સભ્યોની બેઠકમાંથી 15 દિવસ કે તેના કરતાં વધુ દિવસ કરતા વધારે દિવસ ગેરહાજર રહેવાના હોય, ત્યારે તેમને પરવાનગી મેળવવા માટે લેખિત અરજી કરવાની હોય છે. જે અધ્યક્ષને કરવાની હોય છે, પરંતુ ગેરહાજરીના છેલ્લો દિવસ 17માં દિવસમાં આવતો હોય તેવા કિસ્સામાં 15 દિવસ કરતાં ઓછા સમય માટે સભ્યએ અરજી કરવાની હોય છે. આ પ્રમાણેની અરજીમાં કઈ તારીખથી કઈ તારીખ સુધી ગેરહાજર રહેવા માંગે છે. તેની મુદત અને તેના ગેરહાજર રહેવાના કારણો પણ જણાવવા જરૂરી હોય છે, જ્યારે ગૃહની બેઠકમાંથી રજા સિવાય 60 દિવસ અથવા તેનાથી વધુ મુદ્દત સુધી ગેરહાજર રહેલા સભ્યના કિસ્સામાં બધા સંજોગો તપાસી આવી ગેરહાજરી માફ કરવી કે સભ્યની બેઠક ખાલી પડેલી જાહેર કરવી તે અંગે આ સમિતિ ભલામણ કરે છે.

ખાતરી સમિતિ: આ સમિતિમાં સરકારના કોઈપણ વિધાન સભ્ય તરીકે રહી શકતા નથી, પરંતુ વિધાનસભા ગૃહમાં સરકાર તરફથી પ્રધાનોએ વખતે વખત જે ખાતરી વચ્ચેનો અને બાંહેધરી આપી છે. તેની આ સમિતિ તપાસ કરે છે. આ ખાતરીઓ વચ્ચે કેટલે અંશે અમલ કરવામાં આવ્યા છે અને તેના અમલમાં સરકારના વિભાગો તરફથી કંઈ યોગ્ય ઢીલ થઈ છે કે કેમ તે બાબતની તપાસ કરીને સમિતિ ગૃહને અહેવાલ આપે છે.

અરજી સમિતિ: અરજી સમિતિની વાત કરવામાં આવે તો ઉપાધ્યક્ષ ઉપરાંત બીજા સાત સભ્યો આની અંદર હોય છે. ઉપાધ્યક્ષ સમિતિના પ્રમુખ તરીકે કામ કરે છે, જ્યારે કામગીરીમાં વાત કરવામાં આવે તો, વિધેયક પ્રસિદ્ધ કરવામાં આવ્યું હોય તે વિધેયક પર, ગૃહ સમક્ષ અનિર્ણય હોય તેવા કામકાજ સાથે સંકળાયેલી કોઈ પણ બાબત પર નિયમોમાં આપેલા અપવાદ સિવાયની સામાન્યહિતની કોઈપણ બાબત પર, ભારતના કોઈપણ ભાગના ક્ષેત્રાધિકાર ધરાવતા ન્યાયાલય અથવા વૈધાનિક ટ્રિબ્યુનલ, ઓથોરિટી, જ્યુડિશિયલ બોડી અથવા કમિશનના અધિકારી હેઠળ આવી જતી હોય તેવી બાબતો ન હોવી જોઈએ તેવી બાબતે અરજી સમિતિ કામ કરે છે. જ્યારે અરજી કરનાર ફરજિયાત સભ્ય હોવો જોઈએ અને અરજી વિધાનસભાને સંબોધીને કરવાની હોય છે, જ્યારે અરજી વિવેકી ભાષામાં હોવી જોઈએ.અરજી પર અરજી કરનારે કે કરનારા હોય તેને સહી કરેલી હોવી જોઈએ. અરજીના અંતે અરજીના ચોક્કસ ઉદ્દેશ જણાવીને તે અંગે માંગણીઓ પણ કરવી જોઈએ.

બિનસરકારી સભ્યોના કામકાજ માટેની સમિતિ: ગુજરાત વિધાનસભામાં સભ્યો કામકાજ દાખલ કરવામાં આવે ત્યાર પછી વિધાયકોના વિવિધ ચર્ચા માટે ફાળવણીના સમયની માગ કરે છે. તેવી જ રીતે સંકલ્પોની ચર્ચા માટે સમયની ભલામણ કરવામાં આવે છે. વધુમાં સમિતિનો અહેવાલ રજૂ કર્યા પછી અહેવાલને મંજૂર રાખવાનો પ્રસ્તાવ કરવામાં આવે છે. આ પ્રસ્તાવ મંજૂર રાખવામાં આવે તો અહેવાલમાં સૂચવવામાં આવેલા સમયમાં કામકાજનો નિકાલ કરવામાં આવે છે. જ્યારે અહેવાલ મંજૂર કરવાના પ્રસ્તાવ પર કોઈપણ સભ્ય સુધારા કરી શકે છે અનેક રૂપે સુધારા સહિત અથવા સુધારા વગર અહેવાલને મંજૂર કરે છે. જ્યારે ગૃહએ મંજૂર કર્યા પ્રમાણેનો સમય પત્રક ભાગ 3 આપવામાં આવે છે.

ગૌણ વિધાન સમિતિ: આ સમિતિમાં 10 સભ્ય હોય છે, જ્યારે આ સમિતિમાં કાયદા પ્રધાનનો સભ્ય તરીકે સમાવેશ થાય છે. કામગીરીની વાત કરવામાં આવે તો સામાન્ય રીતે આ સમિતિ ઉપર વકીલાત કરતા સભ્ય અને કાયદાકીય બાબતોમાં જ્ઞાન અને રસ ધરાવતા સભ્યો વધુ સારું કામ કરી શકે છે. સરકાર જે કોઈ નિયમો કરે અથવા અમલમાં હોય તેવા નિયમોમાં વખત જે કંઈ સુધારા કરે તેમાં સરકારે પોતાને મળેલી સત્તાનો ઉપયોગ જે તે કાયદા અથવા બંધારણ તે નિયત થયેલા અધિકારની ક્ષેત્ર મર્યાદામાં રહીને કર્યો છે કે કેમ તે જોવાનો તથા નિયમો કરતી વખતે, તેમાં સુધારો કરતી વખતે, સંબંધ કરતા અને રજૂઆત કરવાની યોગ્ય તક આપવામાં આવી છે કે નહીં તે અંગેની તપાસ આ સમિતિ કરે છે.

નિયમો માટેની સમિતિ: આ સમિતિ 15 સભ્યોની બનાવવામાં આવે છે, જ્યારે અધ્યક્ષ પોતાની રુએ સમિતિના પ્રમુખ હોય છે. સમિતિ પોતાની મેળે અથવા કોઈ સભ્ય તરફથી સૂચના આપવામાં આવે ત્યારે ગૃહની કાર્યરીતિ અને તેના કામકાજના સંચાલન અંગેની બાબતો પર વિચારણા કરે છે. વિધાનસભાના નિયમોમાં જુદી હોય તેવા સુધારા વધારા કરવાની ભલામણ કરે છે. આ ભલામણો ગુહના મેજ પર મૂકવામાં આવે છે. ભલામણોમાં જો કોઈ સભ્ય ફેરફાર સૂચવે તો ભલામણોને જ ઉપર મુકાયાના 15 દિવસની અંદર તે વિશેની સૂચના પણ આપવામાં આવે છે. તેમજ મંત્રણા કરીને જે સુધારો કરવામાં આવે અને ગૃહ સહમત થાય તો ભલામણ અનુસાર સુધારેલી ગણવામાં આવે છે. સુધારા તરીકે અધ્યક્ષ ગેઝેટમાં નવા નિયમોને પ્રસિદ્ધ કરાવે છે.

સભ્યોના ભથ્થા બાબત: વિધાનસભાના સભ્યોનો પગાર બાબતના અધિનિયમની કલમ 10 અધ્યક્ષ દર વર્ષે વિધાનસભાના પ્રથમ શરૂઆતમાં 10 સભ્યોની નિમણૂક કરે છે. સમિતિની 1 વર્ષ માટે રચના કરે છે, જ્યારે આ સમિતિમાં સભ્યને આપવામાં આવતી સગવડો જેવી કે રેલવે મુસાફરીના ભાડાની ભરપાઇ, એસટી બસમાં મફત પ્રવાસ, વિધાનસભાના સભ્યોને તબીબી સારવાર વિમાન દ્વારા અંગે અધિનિયમન કરવામાં આવેલા નિયમો સુધારા કરવાની દરખાસ્ત અંગેની વિચારણા કરે છે. સરકાર સાથે ચર્ચા વિચારણા કરીને અધ્યક્ષની મંજૂરી લઈને નિયમોમાં જરૂરી સુધારા વધારા કરવામાં આવે છે.

ગ્રંથાલય સમિતિ: ગ્રંથાલયના કામકાજમાં મદદ કરવા માટે અધ્યક્ષના પ્રમુખ હેઠળ આ સમિતિ રચવામાં આવે છે. આ સમિતિ એક પેટા સમિતિની નિમણૂક કરે છે. જે પુસ્તક વગેરેની પસંદગી કરીને પ્રમુખને ભલામણ કરે છે અને આ ભલામણના આધારે પુસ્તકો સામાયિકો વગેરેને પસંદગી કરવામાં આવે છે. આ ઉપરાંત ગ્રંથાલય સેવા સમૃદ્ધ વધારે કાર્યક્ષમ અને ઉપયોગી બનાવવા અંગે પર સમિતિ વિચાર કરે છે.

સદસ્ય નિવાસ સમિતિ: સદસ્ય નિવાસ સમિતિમાં 15 સભ્યોની નિમણૂક કરવામાં આવે છે. આ સમિતિ સભ્યોને ગાંધીનગરના સદસ્ય નિવાસમાં રહેઠાણની સુવિધા પૂરી પાડવાના લગતા સઘળા પ્રશ્નો હાથ ધરવામાં આવે છે. આ સમિતિ સદસ્ય નિવાસમાં ભોજન અને અન્ય સુવિધા ઉપર દેખરેખ રાખે છે. તેમજ સમિતિના કાર્ય સલાહકારી સ્વરૂપના હોય છે.

સભાગૃહના મેચ પર મુકાયેલા કાગળ માટેની સમિતિ: આ સમિતિમાં 11 સભ્યો હોય છે. જ્યારે સરકારના પ્રધાનો આ સમિતિમાં સભ્ય તરીકે રહી શકતા નથી. જ્યારે વિધાનસભાના મેજ મુકેલા તમામ કાગળો તપાસવા, આવા કાગળો બંધારણ નિયમ અથવા વિનિયમની જોગવાઈ હેઠળ મેજ ઉપર મૂકવામાં આવ્યા છે તે જોગવાઈનું પાલન થયું છે કે નહીં તે આ સમિતિ તપાસ કરે છે. જો કાગળ મુકવામાં ગેર વ્યાજબી વિલંબ થયો હોય તો વિલંબ માટેના કારણોને દર્શાવતું નિવેદન વિધાનસભા ગૃહના મેજ પર મુકવામાં આવ્યું છે કે નહીં તે પણ તપાસ કરે છે. આ ઉપરાંત અંગ્રેજી અને ગુજરાતી એમ બંને રૂપાંતરણ સભાગૃહના મેજ ઉપર મૂકવામાં આવ્યા છે કે નહીં તે પણ આ સમિતિ દ્વારા કામ કરવામાં આવે છે.

Image Gallery