ગાંધીનગરમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની પ્રાર્થના સભા:CM ભૂપેન્દ્ર પટેલે શ્રદ્ધાંજલિ આપી
12 જૂનના રોજ અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટનામાં 250થી વધુ લોકોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રુપાણીનું પણ નિધન થયું હતું. જેમના 70 કલાક બાદ DNA મેચ થયા હતા અને 16 જૂનના રોજ રાજકોટ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આજે ગાંધીનગરમાં પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીની પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે. સેક્ટર-17 હેલીપેડ ગ્રાઉન્ડ ખાતેના એક્ઝિબિશન સેન્ટરના હોલ નંબર-1માં સવારે 9થી 12 વાગ્યા સુધી શ્રદ્ધાંજલિ સભા યોજાઇ રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રીમંડળના સભ્યો, ધારાસભ્યો અને કાર્યકરો આ કાર્યક્રમમાં હાજરી આપી છે.