Loading...

Breaking News : ગોપાલ ઇટાલિયા ક્યારેય આમ આદમી પાર્ટીને ઉભી થવા નહિ દે : રાજુ કરપડા જુઓ Video

આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ રાજુ કરપડાએ પત્રકાર પરિષદ યોજી. તેમણે ખેડૂતોના મુદ્દે પાર્ટીના કથિત સમર્થનના અભાવ અને જેલવાસ દરમિયાન મળેલા કડવા અનુભવોને રાજીનામાનું કારણ ગણાવ્યું. કરપડાએ પાર્ટી પર ખેડૂતોના જામીન મામલે બેદરકારી અને આંતરિક રાજકારણનો આક્ષેપ કર્યો. તેઓ હવે બિનરાજકીય રીતે ખેડૂતો માટે લડવાની વાત કરી રહ્યા છે.

 

આમ આદમી પાર્ટી (AAP) માંથી રાજીનામું આપ્યા બાદ રાજુ કરપડાએ પક્ષના નેતા ગોપાલ ઇટાલિયા પર ગંભીર આરોપો લગાવ્યા છે. કરપડાએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે જ્યાં સુધી ગોપાલ ઇટાલિયા પક્ષમાં રહેશે ત્યાં સુધી આમ આદમી પાર્ટી આગળ નહીં આવે.

તેમણે ઇટાલિયા પર નિશાન તાકતા કહ્યું કે, જેલમાં બંધ હતા ત્યારે પક્ષ તરફથી તેમને કાનૂની સહાય પૂરી પાડવામાં આવી નહોતી, અને તેમને લાંબા સમય સુધી જેલમાં જ રાખવાના પ્રયાસો થયા હતા. આ રાજકીય આરોપો અંગે આમ આદમી પાર્ટીએ તાત્કાલિક સ્પષ્ટતા કરવી જરૂરી હોવાનું કરપડાએ જણાવ્યું. તેમણે ઉમેર્યું કે તેઓ 100 દિવસથી વધુ સમય ખેડૂત આંદોલન માટે જેલમાં રહ્યા હતા.