જો વરસાદના કારણે મેચ રદ થઈ તો સેમિફાઈનલની રેસમાંથી બહાર થશે ભારત? જાણો સમીકરણ
સુપર-8માં ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે એક મોટી મેચ રમાશે. સેમિફાઈનલની રેસમાં રહેવા માટે ભારતને કોઈ પણ સંજોગોમાં આ મેચ મોટા અંતરથી જીતવી પડશે. કાં પછી ભારતીય ટીમે પ્રાર્થના કરવી પડશે કે, વેસ્ટઈન્ડિઝની ટીમ આજે સાઉથ આફ્રિકા વિરુદ્ધ મેચ હારી જાય. આ સિવાય વરસાદને લઈને પણ ચાહકોના મનમાં એક સવાલ છે. આજે ચેન્નાઈમાં વરસાદ પડ્યો અને મેચ રદ થઈ તો શું ભારતીય ટીમ માટે સેમિફાઈનલમાં પહોંચવાનો રસ્તો બંધ થઈ જશે. સુપર-8માં કોઈ પણ મેચ માટે રિઝવ ડે નથી. ત્યારે વરસાદના કારણે જો મેચ રદ થઈ તો સેમિફાઈનલની રેસમાં ભારતીય ટીમ પછડાશે.
વરસાદના કારણે મેચ રદ થઈ તો શું થશે,સમીકરણ-1
જો વરસાદના કારણે ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે મેચ રમાશે નહી તો ભારતને નુકસાન થશે. ભારતને સુપર-8માં સાઉથ આફ્રિકા વિરુદ્ધ મોટી હારનો સામનો કરવો પડ્યો છે. જો ભારત-ઝિમ્બાબ્વે મેચ વરસાદના કારણે ન રમાઈ તો બંન્ને ટીમને 1-1 પોઈન્ટ આપવામાં આવશે. આવી સ્થિતિમાં ભારતની પાસે 2 મેચ બાદ માત્ર 1 પોઈન્ટ હશે. ભારત આગામી મેચ વેસ્ટઈન્ડિઝ સામે જીતે છે તો ટીમ પાસે માત્ર 3 અંક થશે. જો આજે વેસ્ટઈન્ડિઝે સાઉથ આફ્રિકાને હરાવ્યું તો આ સ્થિતિમાં ભારતીય ટીમ સેમિફાઈનલની રેસમાંથી બહાર થશે.
સમીકરણ-2
જો વેસ્ટઈન્ડિઝ આજે સાઉથ આફ્રિકાને હરાવે છે અને ભારત આગામી મેચમાં વેસ્ટઈન્ડિઝ સામે જીતે છે તો ભારતીય ટીમ વેસ્ટઈન્ડિઝથી ગ્રુપ-1માં ઉપર હશે. ત્યારબાદ ભારતીય ટીમને એ આશા રાખવી પડશે કે, સાઉથ આફ્રિકાની ટીમ પોતાની આગામી મેચમાં ઝિમ્બાબ્વેને હરાવી દે. વરસાદના કારણે મેચ રદ થયા બાદ ભારતીય ટીમ 3 અંક હશે. તો આ સ્થિતિમાં ગ્રુપ-1માં સાઉથ આફ્રિકા અને ભારત સેમિફાઈનલમાં આગળ જશે.
સુપર-8ના પોઈન્ટ ટેબલની જો આપણે વાત કરીએ તો. વેસ્ટઈન્ડિઝ 2 પોઈન્ટ સાથે પહેલા નંબર પર છે. જ્યારે સાઉથ આફ્રિકાની ટીમ 2 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. ભારતના ખાતામાં હજુ 0 પોઈન્ટ છે.
ચેન્નાઈનો વેધર રિપોર્ટ
હવામાનની વાત કરીએ તો, ચાહકો માટે સારા સમાચાર છે. ભારત-ઝિમ્બાબ્વે મેચ દરમિયાન ચેન્નાઈમાં વરસાદ પડવાની શક્યતા નથી. સવારે તાપમાન 31 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે, જે દિવસના અંત સુધીમાં ઘટીને 27 ડિગ્રી સેલ્સિયસ થઈ જશે. દિવસના મોટાભાગે ધુમ્મસવાળું વાતાવરણ રહેતું હતું, જે રાત્રિ સુધીમાં સાફ થવાની શક્યતા છે.