T20 WC Breaking : સેમિફાઈનલમાં પહોંચતા જ સંજુ સેમસને જીતના જશ્નમાં પોતાનું હેલ્મેટ ફેંક્યું, શું ICC એક્શન લેશે?
આઈસીસી મેન્સ ટી20 વર્લ્ડકપ 2026માં ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે સુપર-8 સ્ટેજ મેચ રમાશે. 1 માર્ચના રોજ કોલકત્તાના ઈડન ગાર્ડનમાં આ મેચ ભારતીય ટીમે 5 વિકેટથી જીતી હતી. ભારતીય ટીમને આ મેચમાં જીત માટે 196 રનનો ટાર્ગેટ મળ્યો હતો. સંજુ સેમસનની શાનદાર બેટિંગના કારણે ભારતીય ટીમે આ ટાર્ગેટ 4 બોલ બાકી રહેતા પૂર્ણ કરી નાંખ્યો હતો. તેમજ ટી20 વર્લ્ડકપ 2026ની સેમિફાઈનલમાં એન્ટ્રી કરી છે.
આ જીત સાથે ભારતે ટી20 વર્લ્ડકપ 2026ની સેમિફાઈનલમાં એન્ટ્રી કરી છે. સેમિફાઈનલમાં ભારતીય ટીમનો સામનો 5 માર્ચના રોજ ઈંગ્લેન્ડ સામે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.જ્યારે પહેલી સેમિફાઈનલ સાઉથ આફ્રિકા અને ન્યુઝીલેન્ડની ટકકર 4 માર્ચના રોજ કોલકત્તામાં રમાશે.
ભારતીય ટીમ માટે સંજુ સેમસને 12 ચોગ્ગા અને 4 સિક્સની મદદથી 50 બોલ પર અણનમ 97 રનની ઈનિગ્સ રમી હતી. સંજુ સેમસને વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ વિનિંગ ચોગ્ગો લગાવતા જ તે ખુબ ઈમોશનલ થયો હતો. તેમણે પહેલા પોતાનું હેલમેટ હવામાં ઉછાળ્યું હતુ અને ત્યારબાદ બે હાથ આકાશ તરફ કરી ઈશ્વરનો આભાર માન્યો હતો.
સંજુ સેમસન પર શું એક્શન લેશે આઈસીસી?
હેલમેટ ફેંકી જશ્ન મનાવવો સંજુ સેમસનને ભારે પડી શકે છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ સંજુ સેમસન વિરુદ્ધ અનુશાસનાત્મક કાર્યવાહી પણ કરી શકે છે. આઈસીસીનો કોડ ઓફ કંડકટ ખેલાડીના વ્યવ્હારને લઈ ખુબ કડક છે. નિયમો હેઠળ મેદાનમાં હેલમેટ કે બેટ ફેંકવું અપરાધની શ્રેણીમાં આવી શકે છે.આવા કિસ્સાઓમાં, ખેલાડીને મેચ ફીનો દંડ, ડિમેરિટ પોઈન્ટ અથવા તો સસ્પેન્શન સહિતની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે.
આઈસીસીના કોડ ઓફ કંડક્ટનો ઉદ્દેશય માત્ર અનુશાસન લાગુ કરવો નથી પરંતુ ખેલાડીઓ, અમ્પાયરો અને મેદાન પર રહેલા લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવો પણ છે. હેલમેટ કે બેટ ફેંકવું અજાણતા કોઈને ઈજા થઈ શકે છે. આ કારણ છે કે, ક્રિકેટ જેવી રમતમાં સંયમને મોટી પ્રાથમિકતા આપવામાં આવે છે.