Loading...

પંચાયતના ‘પ્રહલાદ ચા’ની રણબીર કપૂરની ફિલ્મ રામાયણમાં એન્ટ્રી, આ ખાસ રોલમાં જોવા મળશે

નિતેશ તિવારીની રામાયણ જ્યારથી અનાઉન્સ થઈ છે. ચાહકો ખુબ જ ઉત્સાહિત થયા છે. હવે ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મના બજેટથી લઈ કાસ્ટની ચારે બાજુ ચર્ચા ચાલી રહી છે. આ મેગા બજેટ ફિલ્મમાં રણબીર કપૂર શ્રીરામની ભૂમિકામાં જોવા મળશે. તો સાંઈ પલ્લવી માતા સીતાના રોલમાં જોવા મળશે. રાવણની ભૂમિકામાં યશ અને હનુમાનની ભુમિકામાં સની દેઓલ જોવા મળશે.

ફિલ્મના અન્ય પાત્રની પણ ચારેબાજુ ચર્ચા ચાલી રહી છે. હાલમાં ટીવી અભિનેત્રી ડોનલ બિષ્ટે ખુલાસો કર્યો કે, તેને ફિલ્મમાં શૂર્પખા માટે ઓડિશન આપ્યું હતુ. પરંતુ હજુ સુધી તેના રોલ મળ્યો નથી. રાવણના નાના ભાઈ કુંભકર્ણનું પાત્ર અભિનેતાનાનું નામ સામે આવ્યું છે. જે નિતેશ તિવારીની રામાયણમાં કુંભકર્ણની ભૂમિકા નિભાવશે.

‘રામાયણ’ની કાસ્ટ

  • રણબીર કપૂર (રામ)
  • સાઈપલ્લવી (સીતા)
  • યશ (રામ)
  • સની દેઓલ (હનુમાન)
  • રવિ દુબે (લક્ષ્મણ)
  • લારા દત્તા (કૈકેયી)
  • અરુણ ગોવિલ (દશરથ)
  • રકુલ પ્રીત (સુર્પણખા)

કોણ નિભાવશે કુંભકર્ણનો રોલ?

નિતેશ તિવારીની રામાયણમાં દેશની સૌથી ચર્ચિત અને સફળ સીરિઝ પંચાયતના પ્રહલાદ ચા એટલે કે,ફેસલ મલિક રામાયણમાં તાકતવર યૌદ્ધા કુંભકર્ણની ભુમિકા નિભાવશે. તેમણે ફિલ્મના પહેલા શેડ્યુલ પણ કમ્પલીટ કર્યો છે. રામાયણનો પહેલો પાર્ટ દિવાળી 2026માં રિલીઝ થશે. જેને લઈ ચાહકો ખુબ ઉત્સાહ છે. જોકે, “રામાયણ” ટીમે હજુ સુધી આ અંગે સત્તાવાર જાહેરાત કરી નથી, કે ફૈઝલ મલિકે કોઈ પ્રતિક્રિયા આપી નથી. “રામાયણ” માટે રાઘવ જુયાલનું નામ પણ સૂચવવામાં આવ્યું છે. રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે, રાઘવ જુયાલ ફિલ્મમાં રાવણના દીકરા મેધનાદની ભૂમિકા ભજવશે. પરંતુ આને લઈ હજુ પુષ્ટિ થઈ નથી.

 

Image Gallery