Loading...

આજે એર ઇન્ડિયાની 8 ફ્લાઇટ્સ કેન્સલ:કારણ મેન્ટેનન્સ અને ઓપરેશનલ

શુક્રવારે એર ઇન્ડિયાએ 8 ફ્લાઇટ્સ રદ કરી છે. જેમાં 4 ઈન્ટરનેશનલ અને 4 ડોમેસ્ટિક ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે. એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે, એરપોર્ટ પર મેન્ટેનન્સ અને ઓપરેશનલના કારણોસર આ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.

ડોમેસ્ટિક ફ્લાઇટ્સમાં પુણેથી દિલ્હી ફ્લાઇટ AI874, અમદાવાદથી દિલ્હી ફ્લાઇટ AI456, હૈદરાબાદથી મુંબઈ ફ્લાઇટ AI2872 અને ચેન્નઈથી મુંબઈ ફ્લાઇટ AI571 રદ કરવામાં આવી છે.

ઈન્ટરનેશનલ ફ્લાઇટ્સમાં દુબઈથી ચેન્નઈની ફ્લાઇટ AI906, દિલ્હીથી મેલબોર્નની ફ્લાઇટ AI308, મેલબોર્નથી દિલ્હીની ફ્લાઇટ AI309 અને દુબઈથી હૈદરાબાદની ફ્લાઇટ AI2204નો સમાવેશ થાય છે.

આ રીતે, અમદાવાદ વિમાન દુર્ઘટના પછી 8 દિવસમાં અત્યાર સુધીમાં 84 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.

એર ઇન્ડિયાએ ગયા દિવસે 4 ફ્લાઇટ્સ રદ કરી

દિલ્હીથી વિયેતનામ જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI388 (એરબસ A320 નિયો એરક્રાફ્ટ)ને ગુરુવારે અધવચ્ચે જ દિલ્હી પરત બોલાવી લેવામાં આવી હતી. ફ્લાઈટમાં 130 મુસાફરો સવાર હતા. ફ્લાઈટ બપોરે 1.00 વાગ્યે ઉડાન ભરવાની હતી, પરંતુ 45 મિનિટ મોડી પડી, પછી તે 1.45 વાગ્યે ઉડાન ભરી. આ પછી, પ્લેનમાં ટેકનિકલ ખામી જોવા મળી. થોડો સમય હવામાં રહ્યા બાદ, ફ્લાઈટને દિલ્હી એરપોર્ટ પર પાછી ઉતારવામાં આવી. એરલાઈને કહ્યું - બધા મુસાફરોને સુરક્ષિત રીતે ઉતારી લેવામાં આવ્યા.

ગુવાહાટીથી ચેન્નઈ આવી રહેલા એક ખાનગી એરલાઇનના વિમાનને ઇંધણના અભાવે બેંગલુરુમાં ઉતારવામાં આવ્યું હતું. ફ્લાઇટમાં 168 મુસાફરો સવાર હતા. અહીં ઇંધણ ભર્યા પછી, તેણે ચેન્નઈ પાછી ઉડાન ભરી.

અગાઉ, દિલ્હીથી લેહ જતી ઇન્ડિગોની ફ્લાઇટ 6E 2006 ગુરુવારે સવારે ટેકનિકલ ખામીને કારણે દિલ્હી પરત ફરી હતી. ફ્લાઇટમાં ક્રૂ મેમ્બર્સ સહિત 180 લોકો સવાર હતા.

સ્પાઇસજેટની ફ્લાઇટ SG 2696 પણ ટેકઓફ થયાના 10 મિનિટ પછી પાછી ફરી હતી. આ ફ્લાઇટ હૈદરાબાદથી તિરુપતિ જઈ રહી હતી. ફ્લાઇટમાં કુલ 80 મુસાફરો સવાર હતા. એરલાઇન્સે કહ્યું હતું કે ટેકઓફ કર્યા પછી પાઇલટને સંકેત મળ્યો કે વિમાનના પાછળના દરવાજામાં કોઈ સમસ્યા છે. ત્યારબાદ ફ્લાઇટ એરપોર્ટ પર પાછી ફરી.