નાસભાગના પીડિતોને અપાશે સન્માન, ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં કાયમ માટે ખાલી રખાશે 11 સીટો
4 જૂન, 2025 ના રોજ RCB 18 વર્ષમાં પોતાની પહેલી આઈપીએલ જીતની ઉજવણી કરી રહી હતી. 18 વર્ષમાં RCBની પહેલી આઈપીએલ ટ્રોફી જીતની ઉજવણી દરમિયાન ચિન્નાસ્વામી સ્ટેડિયમ અને એસેમ્બલીની આસપાસ લાખો લોકો ભેગા થતાં નાસભાગ મચી હતી. જેના કારણે 11 લોકોના મોત થયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા.
RCB અને KSCA નો મોટો નિર્ણય
IPLની 19મી સીઝનની શરૂઆત પહેલા જ RCB અને કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન (KSCA) એ આ ઘટનાને યાદ કરવા માટે ભાવનાત્મક નિર્ણય લીધો છે. RCB-KSCA એ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં એક સ્મારક તકતી લગાવવાનો અને 11 સીટો હંમેશા ખાલી રાખવાનો નિર્ણય લીધો છે.