Loading...

રણવીર સિંહનુ જબરદસ્ત કમબેક: ‘ધુરંધર 2’ નો એક અઠવાડિયામાં બન્યો મોટો રેકોર્ડ

રણવીર સિંહની ‘ધુરંધર: ધ રીવેન્જ’ એ બોક્સ ઓફિસ પર એવી સિદ્ધિ હાંસલ કરી છે જે ભારતીય ફિલ્મ નિર્માતાઓએ કદાચ ક્યારેય સ્વપ્નમાં પણ વિચાર્યું ન હતું. ફક્ત 175 કલાકમાં જ ‘ધુરંધર: ધ રીવેન્જ’ એ વિશ્વભરના બોક્સ ઓફિસ પર રૂપિયા 1000 કરોડથી વધુની કમાણી કરી છે. આ ફિલ્મ 19 માર્ચે બોક્સ ઓફિસ પર આવી હતી. તેમજ આ ફિલ્મનો 18 માર્ચે પેઇડ પ્રીવ્યૂ યોજાયો હતો. આટલા ઓછા સમયમાં આટલા ઊંચા આંકડા હાંસલ કરનારી આ પહેલી બોલિવૂડ ફિલ્મ છે.

રિલીઝના સાતમા દિવસે ધૂરંધર 2 ની કમાણી

રિલીઝના સાતમા દિવસે ‘ધૂરંધર: ધ રીવેન્જ’ એ 20,352 શોમાંથી રૂપિયા 48.25 કરોડની કમાણી કરી. આનાથી ભારતમાં ફિલ્મની કુલ કમાણી રૂપિયા 745.23 કરોડ થઈ ગઈ. સાતમા દિવસે ફિલ્મે વિદેશમાં રૂપિયા 11.92 કરોડની કમાણી કરી. જેનાથી તેની કુલ વિદેશી કમાણી રૂપિયા 261.92 કરોડ થઈ ગઈ. ફિલ્મે માત્ર સાત દિવસ અને સાત કલાકમાં જ રૂપિયા 1,007.15 કરોડની કમાણી કરીને રેકોર્ડ બનાવ્યો.

બોલીવુડની ‘પાંચમી’ હજાર કરોડની ફિલ્મ

‘ધુરંધર: ધ રીવેન્જ’ જેને ‘ધુરંધર 2’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે બોલીવુડની ‘પાંચમી’ 1000 કરોડ રૂપિયાની ફિલ્મ બની ગઈ છે. આ યાદીમાં ‘ધુરંધર’ નો પહેલો ભાગ પણ શામેલ છે. જેણે 1300 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આમિર ખાન હાલમાં ‘દંગલ’ સાથે યાદીમાં ટોચ પર છે. શાહરૂખ ખાને 2023 માં સતત 2000 કરોડ રૂપિયાની કમાણી કરતી ફિલ્મો સાથે બધાને આશ્ચર્યચકિત કર્યા હતા. જવાન અને પઠાણ પણ આ યાદીમાં છે. આ ઉપરાંત ‘ધુરંધર: ધ રીવેન્જ’ ફક્ત એક કે બે દિવસમાં જવાન અને પઠાણના ઓલટાઇમ કલેક્શનને સરળતાથી વટાવી જશે.

બોલીવુડનો 1000 કરોડની ફિલ્મોનું ક્લબ

  • દંગલ – 2070 કરોડ
  • ધુરંધર – 1307 કરોડ
  • જવાન – 1160 કરોડ
  • પઠાણ – 1055 કરોડ
  • ધુરંધર 2 – 1007 કરોડ

ધુરંધર 2 એ કયા દિવસે કેટલી કરી કમાણી

રિલીઝ થયા પછી તરત જ ધુરંધર 2 એ જંગી નફો કમાવવાનું શરૂ કર્યું હતું. પેઇડ પ્રીવ્યૂથી બોક્સ ઓફિસ પર રૂપિયા 43 કરોડની કમાણી થઈ. રિલીઝના પહેલા દિવસે તેણે રૂપિયા 102.55 કરોડ, બીજા દિવસે રૂપિયા 80.72 કરોડ, ત્રીજા દિવસે રૂપિયા 113 કરોડ, ચોથા દિવસે રૂપિયા 114.85 કરોડ, પાંચમા દિવસે રૂપિયા 65 કરોડ, છઠ્ઠા દિવસે રૂપિયા 56.60 કરોડ તેમજ સાતમા દિવસે રૂપિયા 48.25 કરોડની કમાણી કરી. ભારતમાં ફિલ્મનું કલેક્શન રૂપિયા 623.97 કરોડ પર પહોંચી ગયું છે.

ધુરંધર 2નું નિર્દેશન આદિત્ય ધર દ્વારા કરવામાં આવ્યું છે. રણવીર સિંહ ઉપરાંત ફિલ્મમાં સંજય દત્ત, અર્જુન રામપાલ, આર. માધવન, રાકેશ બેદી, સારા અર્જુન અને ડેનિશ પાંડોર પણ છે. ધુરંધર 2 ના દિગ્દર્શન ઉપરાંત આદિત્યએ તેનું લેખન અને નિર્માણ પણ કર્યું છે.

Image Gallery