Loading...

બેડમિન્ટનની પોઈન્ટ સિસ્ટમ બદલાશે, 21-પોઈન્ટનો નિયમ દૂર થતાં ભારતીય ખેલાડીએ નારાજગી વ્યક્ત કરી

બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશને આ રમત સાથે જોડાયેલો એક નિયમમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે. જેને લઈ 25 એપ્રિલના રોજ બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન એટેલે કે, બીડબલ્યુએફે પાતોનો નિર્ણય સંભળાવ્યો છે. બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશને સ્કોરિંગ સિસ્ટમમાં ફેરફારની જાહેરાત કરી 3×15 પોઈન્ટ સિસ્ટમની અપનાવવાની જાહેરાત કરી છે.અત્યારે બેડમિન્ટનમાં 3×21 પોઈન્ટ ફોર્મેટમાં રમવામાં આવતું હતુ. જે બીડબલ્યુએફના આ નિર્ણયને લઈ પીવી સિંધુ સહિત અનેક ભારતીય ખેલાડીઓએ પોતાની નારાજગી નારાજગી વ્યક્ત કરી છે. જે નવા સ્કોરિંગ સિસ્ટમથી ખુશ નથી.

નવો સ્કોરિંગ સિસ્ટમ જાન્યુઆરીમાં લાગુ થશે

ડેનમાર્કના હોર્સન્સમાં થયેલા બીડબલ્યુએફ વાર્ષિક સામાન્ય બેઠક દરમિયાન બેડમિન્ટનમાં નવા સ્કોરિંગ સિસ્ટમ 3×15 અપનાવવાનો પ્રસ્તાવ બે તૃતીયાંશ બહુમતીથી પસાર થયો. પોઈન્ટ સિસ્ટમ હવે આવતા વર્ષની શરૂઆતમાં 4 જાન્યુઆરીથી લાગુ કરવામાં આવશે. આ સાથે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા 3×21 પોઈન્ટ ફોર્મેટમાં પૂર્ણ થશે. બેડમિન્ટનમાં આ નવા સ્કોરિંગ સિસ્ટમ હેઠળ હવે મેચ 21ના બદલે 15 પોઈન્ટના 3 સેટમાં રમાશે.BWFની અધ્યક્ષ ખુનિંગ પટામા લીસ્વદત્રાકુલે આ નિર્ણયને બેડમિન્ટનના ભવિષ્ય માટે એક મહત્વપૂર્ણ પડાવ ગણાવ્યો છે. તેમજ કહ્યું કે, રમતની આગલી પેઢીને વિકસિત કરવી જરુરી છે.આ મેચમાં 3 સેટ હોય છે. 21 પોઈન્ટ મેળવનાર પ્રથમ ખેલાડી/જોડી રમત જીતે છે.

સાયના નહેવાલ અને પીવી સિંધુએ દુખ વ્યક્ત કર્યું

ભારતીય બેડમિન્ટન ખેલાડીએ બીડબલ્યુએફે આ નવા સ્કોરિંગ સિસ્ટમની જાહેરાત થયા બાદ દુખ વ્યક્ત કર્યું હતુ. જેમાં પીવી સિંધુ અને સાયના નહેવાલ બંન્નેના નામ સામેલ છે. જેમાં સાયના નહેવાલે કહ્યું સુધારાની રેસમાં રમતે પોતાની રિયાલિટી ખોઇ નાખી છે. આ સિવાય 2 વખતની ઓલિમ્પિક વિજેતા પીવી સિંધુ અને પૂર્વ મુખ્ય કોચ વિમલ કુમારનું નામ પણ સામેલ છે. જેમણે નવા નિયમને લઈ દુખ વ્યક્ત કર્યું છે.

Image Gallery