જનેતાએ ત્રણ માસૂમો સાથે ઝેર ગટગટાવ્યું:બાળકોનાં મોત,માતા ગંભીર; ઘરકંકાસમાં અંતિમ પગલું ભર્યું હોવાની આશંકા;સાસુએ લગાવ્યા ગંભીર આક્ષેપ
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના પાલી કરમબેલી ગામમાં એક કાળજું કંપાવી દેનારી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં ઘરેલુ કલહના કારણે સર્જાયેલા વિખવાદ બાદ એક જ પરિવારના ત્રણ માસૂમ બાળકોના શંકાસ્પદ મોત થતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
પ્રાથમિક આશંકા મુજબ, કૌટુંબિક ઝઘડા બાદ માસૂમોને કોઈ ઝેરી પદાર્થ પીવડાવવામાં આવ્યો હતો, જેના કારણે 3 વર્ષની બાળકી નાયરા તેમજ માત્ર 7 મહિનાના બે જોડિયા બાળકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
આપઘાતનો પ્રયાસ કરનાર મહિલાના પતિનું નિવેદન
આપઘાતનો પ્રયાસ કરનાર મહિલાના પતિએ આ ઘટના વિશે જણાવતા કહ્યું હતું કે, ‘એ અઠવાડિયાથી તેની મમ્મીના ઘરે હતી. કાલે આવ્યા અને મેં તેનો મોબાઈલ જોયો તો તેમાં તેના ફ્રેન્ડના ઘણા ટેક્સ્ટ મેસેજ હતા, તેણે વાતો પણ કરેલી હતી...એ મારી આગળ જૂઠું બોલી, એણે કહ્યું મેં એક જ મિનિટ વાત કરી હતી પણ હકીકતમાં તેણે ઘણી વાતો કરી હતી..તેમાં તેના ફ્રેન્ડના ફોટા પણ હતા મે તેને આ વિશે ઠપકો આપ્યો તો તેણે મને કહ્યું કે મારે તો ઘણા સમયથી અફેર ચાલે છે..એમ બોલીને તે રોષે ભરાઈ હતી અને કદાચ તેણે પોતાની રીસ બાળકો પર આ રીતે ઉતારી હોઈ શકે’