રેવેન્યુ તલાટીની પરીક્ષાની તારીખ જાહેર:14 સમ્પ્ટેમ્બરના રોજ 2389 જગ્યાઓ માટે પરીક્ષા લેવાશે
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે 25 મે 2025ના રોજ મહેસૂલ વિભાગ હસ્તકના મહેસૂલ તલાટીની કુલ 2389 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયાની જાહેરાત કરી હતી. જેની ઓએમઆર બેઝ્ડ પ્રાથમિક પરીક્ષા આગામી 14 સપ્ટેમ્બર 2025ના રોજ બપોરે 2 થી 5 વાગ્યા દરમિયાન કુલ 200 માર્કની પરીક્ષા લેવામાં આવશે. જેનું ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે.
પસંદગી યાદી અને પ્રતિક્ષા યાદી તૈયાર કરવાની પદ્ધતિ
- મંડળ દ્વારા બી તબક્કાની મુખ્ય પરીક્ષાના પ્રોવિઝનલ પરિણામ પ્રસિદ્ધ કર્યા બાદ ડોક્યુમેન્ટ વેરીફિકેશન માટે લાયક ઠરેલા ઉમેદવારોના ન્યુનતમ ગુણવત્તા ધોરણો (Qualifying standard) જાળવીને કૂલ ગુણના આધારે ભરવાની થતી કેટેગરી મુજબની જગ્યાના આશરે બે ગણા ઉમેદવારોને પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવામાં આવશે.
- પ્રોવિઝનલ મેરીટ યાદીના બે ગણા ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી બાદ પણ જાહેરાતમાં દર્શાવ્યા મુજબની કેટેગરી મુજબ ભરવાની થતી જગ્યાઓના આધારે પસંદગીયાદી અને પ્રતિક્ષાયાદી તૈયાર કરવામાં માટે જરૂરી સંખ્યાના ઉમેદરો ન મળવાના સંજોગોમાં જરૂર મુજબના પ્રોવિઝનલ મેરીટ યાદી પરના ઉમેદવારોને પ્રમાણપત્રોની ચકાસણી માટે બોલાવવામાં આવશે.
- ત્યાર બાદ ઉમેદવારોએ મેળવેલા ગુણને ધ્યાને લઈને મેરીટ અનુસાર કેટેગરી મુજબ જગ્યાઓ ધ્યાને લઈ પસંદગી યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે.
- સીધી ભરતીની જગ્યા ખાલી ન રહેવા પામે તે હેતુથી કેટેગરી પ્રમાણે પ્રતિક્ષાયાદી બનાવવાની રહેતી હોઈ મહેસૂલ વિભાગના તા.22-5-2025ના જાહેરનામાં ક્રમામક GM/2025/114/12256/N-PF-1થી નિયત થયેલ જોગવાઈ તથા સામાન્ય વહીવટ વિભાગના27-7-2018 ના ઠરાવ ક્રમાંકઃ પીએસસી-1089-3910-ગ-2ની જોગવાઈઓ ધ્યાને લઈ ઉમેદવારોએ સ્પર્ધાત્મક પરીક્ષામાં મેળવેલા ગુણના મેરીટ્સ આધારે કેટેગરી મુજબ ભરવાની થતી જગ્યાની વિગતો ધ્યાને લઈ પસંદગી યાદી અને લાગુ પડતા કિસ્સામાં પ્રતિક્ષા યાદી તૈયાર કરવામાં આવશે.
ઉમેદવારોની નિમણૂક કેવી રીતે અપાય?
- જાહેરાત સંબંધમાં પસંદ થયેલા ઉમેદવારોની નિમણૂક માટે સરકારના મહેસૂલ વિભાગને મંડળ દ્વારા ભલામણ કરવામાં આવશે.
- ઉમેદવારને નિમણૂક માટે Merit Number ને ધ્યાનમાં રાખી વિચારણા કરવામાં આવશે. મંડળ દ્વારા લેવાનાર સ્પર્ધાત્મક લેખિત કસોટીમાં ઉત્તીર્ણ થવાની જ ઉમેદવારને નિમણૂક માટેનો હક્ક મળી જતો નથી. નિમણૂક સમયે નિમણૂક સત્તાધિકારીને ઉમેદવાર બધી જ રીતે યોગ્ય છે તેમ સંતોષ થાય તો જ ઉમેદારને નિમણૂક આપવામાં આવશે.
- પસંદી પામેલા ઉમેદવાર, નિમણૂક સત્તાધિકારી ઠરાવે તે શરતોને આધિન નિમણૂક મેળવવાને પાત્ર થશે.
- નિમણૂક પામેલા ઉમેદવારે સરકારના નિયમો મુજબની તાલીમ લેવી પડશે અને તાલીમ પરીક્ષા પાસ કરવાની રહેશે.
- નિમણૂક અંગેની સઘળી કાર્યવાહી સંબંધિત જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવીત હોય આ અંગેનો પત્ર વ્યવહાર મંડળ ખાતે કરવાનો રહેશે નહીં.