અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલી અમરેલીની દીકરી રિદ્ધિ પડસાળાની અંતિમ વિધિ
અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલી અમરેલીની દીકરી રિદ્ધિ પડસાળાની આજે અંતિમ વિધિ કરવામાં આવી. રિદ્ધિ રાજકોટમાં સાસરે રહેતી હતી અને છેલ્લા વર્ષોથી લંડનમાં સ્થાયી થઈ હતી. તે એક મહિના પહેલા જ અમરેલી આવી હતી.
અમદાવાદથી ફ્લાઈટમાં પ્રવાસ દરમિયાન થયેલી દુર્ઘટનામાં તેનું મૃત્યુ થયું હતું. DNA પરીક્ષણ બાદ તેના પાર્થિવદેહને અમરેલી લાવવામાં આવ્યો હતો. અંતિમ વિધિમાં સ્થાનિક ધારાસભ્ય કૌશિક વેકરીયા અને સાંસદ ભરત સુતરીયા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા
ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા વડીયાના વતની અર્જુન પટોળીયાની પણ અંતિમ વિધિ કરવામાં આવી હતી. લંડનમાં રહેતા અર્જુનનું પણ આ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. તેની અંતિમ વિધિ દરમિયાન વડીયા બંધ રાખવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં લોકોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.